Wednesday, September 4, 2013

Jain AAGAM DARSHAN - SUMMARY OF ALL 45 AAGAM (THE JAIN GRANT - BOOK)

પિસ્તાળીસ આગમનો સંક્ષિપ્ત પરિચય


 
The below is summary... Click here to find what AAGAM is ?
To find Details ... Click Here

૧. આચારાંગસૂત્ર - આ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોના આચારાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૨. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર - આ સૂત્રમાં જીવ - અજીવ વિગેરે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું વર્ણન છે. ક્રિયાવાદી વિગેરેના ૩૬૩ ભેદો (પાંખડિયો) વિગેરેનું વર્ણન છે. ચરણ સિત્તરીની પ્રરુપણા કરતાં સહન કરવાની વાત આદ્રકુમારાદિનાં દ્રષ્ટાંતથી વિસ્તારથી સમજાવી છે.
૩. શ્રી સ્થાનાંગ સૂત્ર - એકથી દસ સુધીની સંખ્યાવાળા જીવ-અજીવ નદીઓ વિગેરે વિવિધ પ્રકારનાં પદાર્થોનું વર્ણન ક્રમસર અધ્યાપનોમાં કર્યું છે.
૪. શ્રી સમવાયાંગ સૂત્ર ઃ આ સૂત્રમાં એકથી માંડીને સો ઉપરાંત જીવ-અજીવ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે અને બાર અંગનો સંક્ષિપ્ત સાર જણાવેલ છે.
૫. શ્રી ભગવતી સૂત્ર - આ સૂત્રમાં ચારે અનુયોગ વિગેરે પદાર્થોનું પ્રશ્નોત્તરાદિ રૃપે વર્ણન કરેલું છે.
૬. શ્રી જ્ઞાાતા સૂત્ર - આ સૂત્રમાં શૈલકરાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વિગેરેની કથાઓ દ્વારા જુદી જુદી રીતે આત્મિક બોધ આપ્યો છે.
૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર - આ સૂત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવના દસ શ્રાવકોના ચરિત્રોનું વર્ણન છે.
૮. શ્રી અંતકૃત દશાંગ સૂત્ર - આ સૂત્રમાં અનંત તીર્થંકર, ગણધર, સમલંકત પ્રસંગોનું પ્રસંગે કૃષ્ણા, ગજસુકુમાર, સોમિલ બ્રાહ્મણ વગેરેની વાતો તથા કૃષ્ણ વાસુદેવની રાણીઓએ અને શ્રેણિકરાજા વિગેરેની રાણીઓએ દીક્ષા લઈ કરેલ વર્ધમાનતપ આદિનું વિસ્તારથી વર્ણન છે.
૯. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર - આ સૂત્રમાં સંયમની નિર્મલ સાધના કરીને અનુત્તર વિમાનોમાં ગયેલા જાલિકુમાર, ઉગ્ર તપશ્ચર્યા કરનાર શ્રી ધન્યમુનિ વિગેરેનાં ચરિત્રો જણાવ્યા છે.
૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર - આ સૂત્રમાં પાંચ આશ્રવોની અને પંચ સંવરોની વિગેરે પદાર્થોની વિગતો વિસ્તારથી દ્રષ્ટાંતો સાથે કહી છે.
૧૧. શ્રી વિપાક સૂત્ર - આ સૂત્રમાં સુખ દુઃખના ફળોને ભોગવનારા જીવોની કથાઓ વિગેરેનું વર્ણન છે.
૧૨. શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર - આ અંગ વિચ્છેદ પામ્યું છે.
૧૩. શ્રી ઔપપાતિક સૂત્ર - આ સૂત્રમાં મહેલથી મહોત્સવ - પૂર્વક પ્રભુશ્રી મહાવીરસ્વામિની પાસે જઈને કોણિક રાજાએ વિધિથી વંદના કરી, પ્રભુની દેશના સાંભળી વિગેરે બીના અને મુનિવરોનું તપ, સિદ્ધિના સુખ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
૧૩. શ્રી રાયપસેણીય સૂત્ર - આ સૂત્રમાં કેશિ ગણધર અને પ્રદેશી રાજાના પ્રશ્નોત્તરાદિનું અને સૂર્યાભદેવના વર્તમાન દેવભવનું અને ભાવિ ભાવનું વર્ણન કર્યું છે.
૧૪. શ્રી જીવાભિગમ સૂત્ર - આ સૂત્રમાં જીવ-અજીવ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
૧૫. શ્રી પ્રજ્ઞાાપના સૂત્ર - આ સૂત્રમાં જીવાજીવોની પ્રજ્ઞાાપના, સ્થાન વિગેરે ૩૫ પદાર્થોનંુ વર્ણન ચોવીસ દંડકમાં ગોઠવીને કર્યું છે.
૧૬. શ્રી સૂર્ય પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં સૂર્ય વિગેરેની બાબતનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૧૭. શ્રી ચંદ્ર પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં ચંદ્રાદિની બાબતનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૧૮. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ સૂત્ર - આ સૂત્રમાં જંબુદ્વીપાદિ ક્ષેત્રોની અને શ્રી ઋષભદેવ પ્રભુ, ભરત ચક્રવર્તી આદિની હકીકતો કહી છે.
૧૯. શ્રી કલ્પિકા ઉપાંગ- આ સૂત્રમાં કોણિકે કરેલા ચેડા મહારાજની સાથે યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર કાલ વિગેરેની તથા શ્રેણિકના મરણ વિગેરેની બીનાઓ કહી છે.
૨૦. શ્રી કલ્પાવંતસિકા ઉપાંગ ઃ આ સૂત્રમાં શ્રેણિક પૌત્ર પદ્મકુમાર વિગેરે દશ જણા સંયમ સાધીને એક દેવ ભવ કરીને મોક્ષમાં જશે તેનું વર્ણન કર્યું છે.
૨૧. શ્રી પુષ્પિકા ઉપાંગ - આ સૂત્રમાં ચંદ્ર સૂર્ય વિગેરેના પૂર્વભવાદિનું વર્ણન કર્યું છે.
૨૨. શ્રી પુષ્પચૂલિકા ઉપાંગ - આ સૂત્રમાં શ્રીદેવી વિગેરે દસ દેવીઓના પાછલા ભવ વિગેરેની વિગત કહી છે.
૨૩. શ્રી વહ્વિદશા ઉપાંગ - આ સૂત્રમાં બળદેવના બાર પૂત્રોના દીક્ષાની બીના અને તેમનાં પૂર્વભવાદિની બીના કહી છે.
૨૪ થી ૨૯ છ પયન્ના (કુલ ૧૦ પયન્ના છે) ચઉશરણ પયન્ના, આતુર પ્રત્યાખ્યાન પયન્ના, ભક્તિ પરિજ્ઞાા પયન્ના, સંસ્તારક પયન્ના, મહાપ્રત્યાખ્યાન પયન્ના, મરણ સમાધિ પયન્ના - આ છ પયન્નાઓમાં અંતિમ આરાધનાદિનો અધિકાર જુદા જુદા સ્વરૃપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતા પ્રસંગાનુપ્રસંગે ઘણી જરૃરી બીનાઓ પણ જણાવી છે.
૩૦. શ્રી તંદુલ વેયાલિય પયન્ના - આ સૂત્રમાં ગર્ભનું કાલમાન, દેહરચના અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતાની તજવાનો ઉપદેશ આપ્યો છે.
૩૧. શ્રી ગચ્છાચાર પયન્ના - આ સૂત્રમાં મુનિવરોના આચારાદિના બીના કહી છે.
૩૨. શ્રી ગણિવિજ્જા પયન્ના - આ સૂત્રમાં દિવસ બળ વિગેરે નવ બળોને અંગે જ્યોતિષની હકીકત વિગેરે બીનાઓ જણાવી છે.
૩૩. શ્રી દેવેન્દ્ર સ્તવ પયન્ના - આ સૂત્રમાં પ્રભુની સ્તુતિ કરવાના અવસરે પૂછાયેલાં ઉત્તરોરૃપે ઉર્ધ્વલોકાદિની બીના જણાવી છે.
૩૪. શ્રી આવશ્યક સૂત્ર - આ સૂત્રમાં છ આવશ્યકનું વર્ણન છે.
૩૫. શ્રી દશવૈકાલિક સૂત્ર - આ સૂત્રમાં મુનિવરોના આચારનું વર્ણન છે.
૩૬. શ્રી ઓઘનિર્યુક્તિ સૂત્ર - આ સૂત્રમાં શ્રી ચાતુર્વિધ સંઘને મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્વ વિગેરે પદાર્થોનું સ્વરૃપ વિસ્તારથી સમજાવ્યું છે.
૩૭. ઉત્તરાધ્યયન સૂત્ર - આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્વ વિગેરે પદાર્થોનું સ્વરૃપ વિસ્તારથી સમજાવ્યું છે.
૩૮. શ્રી નંદી સૂત્ર - આ સૂત્રમાં પાંચ જ્ઞાાન વિગેરેનું તથા અંતે બાર અંગોનું પણ ટૂંકું વર્ણન કર્યું છે.
૩૯. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર - આ સૂત્રમાં ઉપક્રમાદિ ચાર પ્રકારના અનુયોગ વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. ઉપક્રમે, નિક્ષેપ, અનુગમ અને નય એમ ચાર દરવાજાનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
૪૦ થી ૪૫ શ્રી છ છેદ સૂત્ર - આ સૂત્રમાં પ્રાયશ્ચિત, પાંચ વ્યવહાર અને મુનિવરોના આચરાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
ઉપર પરિચય કરાવેલ પિસ્તાલીસ આગમ સત્ય છે. અનુત્તર છે. કેવલી શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલા છે.
આગમો પ્રતિપૂર્ણ તથા ન્યાયમાર્ગને અનુસરનારા છે. સર્વથા શુદ્ધ છે. આત્માને ત્રણ શલ્યમુક્ત બનાવનાર છે. આ આગમો મુક્તિમાર્ગને આરાધવામાં અસાધારણ કારણ છે. સર્વજ્ઞાકથિત આગમોમાં ક્યાંય શંકાને સ્થાન છે જ નહીં. આગમનો સાત્વિક આરાધક નિશ્ચત ત્રિવિધ દુઃખોનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. તેથી જ આગમો નિર્વાણરૃપી નગરમાં પહોંચવાના માર્ગરૃપ કહેવાય છે.
આ આગમ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, નિઃસંદેહ બની યથાશક્તિ જીવનમાં ઉતારી, આત્મકલ્યાણ સાધવા ઉદ્યમશીલ બનીએ.
- આચાર્યશ્રી જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ

how to live a very happy marriage life ? - accepting partner as she/he is...

એકબીજાના મિત્ર થવું એ લાગણીઓ ઉપર નહીં પરંતુ પરસ્પર

સન્માન અને જવાબદારીની ભાવના ઉપર આધારિત છે



- સહજીવનની મજબૂતાઇ માટે માત્ર પ્રેમ ઉપર આધાર રાખી શકાય એમ નથી પોતાનો સંબંધ વધુ મજબૂત અને સુખી બનાવી શકે તેવી અન્ય બાબતો અંગે વિચારવું પણ જરૃરી છે


'હું તને પ્રેમ કરું છુ'એ લાગણીઓથી છલોછલ એકરાર છે અને 'તુ જેવો (જેવી) છુ તેવો (તેવી) મને ગમે છે'એ સમજદારીપૂર્વકના સહજીવનમાંથી જન્મેલો ખ્યાલ છે. સાથીને પ્રેમ કરતા હોઇએ એટલે આપોઆપ જેવો છે તેવો ચાહવા માંડીએ એ શક્ય નથી.વ્યવહારમાં તો ઉલટું બને છે, પ્રેમ એટલે જેવો છે તેવો ચાહવાને બદલે તેની ઉપર હક ધરાવીને આપણી જરૃરીયાત કે પસંદગી પ્રમાણે બદલવા સંઘર્ષ કરીએ છીએ! ઘણા યુગલો તો એકબીજા ઉપર'જો તું' મને પ્રેમ કરતો (કરતી) હોય તો' નો પોતાની રીતે ઇચ્છનીય બદલાવ લાવવાના શસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હોય છે.મસમોટું સત્ય તો એ છે કે મજબુત અને સુખમય સંબંધો માટે પોતાની જાતને ચાહવી જેટલી જરૃરી છે એટલી જ કે એથી'ય વધારે સાથી જેવો છે તેવો ચાહવા યોગ્ય છે તેવી સમજ અગત્યની છે. મહત્વની વાત એ છે કે પ્રેમ તો ઘાસની જેમ આપોઆપ અને રાતોરાત કુટી નીકળે શકે છે પરંતુ આ સમજ તો સંભાળપૂર્વક વાવીને ઉછેરવી પડે છે.


પ્રેમ કરતા શીખવું ના પડે પરંતુ સાથીને જેવો છે તેવો ચાહવા માટે તો અમુક પાયાની સમજ કેળવવી પડે.પ્રાણીઓને કુદરતે અનેક લાગણીઓ આપે છે. આ લાગણીઓનો મુળ ગુણધર્મ ચઢ- ઉતરનો છે, એટલે કે તે સ્થિર નથી. કોઇપણ લાગણી શાશ્વત નથી, પરંતુ ઘડીયાળના લોલકની જેમ એક સીમામાં ઉપર- નીચે થયા કરે છે.કોઇપણ લાગણીની દિશા, પ્રમાણ, તીવ્રતા, અનુભૂતિ વગેરે કશું'ય સ્થિર નથી. તે વ્યક્તિ, સમય, સંજોગ, મનની સ્થિતિ વગેરે પ્રમાણે બદલાતી રહે છે. પ્રેમ પણ આ લાગણીઓના સમુહ પૈકી એક લાગણી છે અને તે પણ લાગણીઓના આ ગુણધર્મને અનુસરે તે સહજ કુદરતી છે. પરિણામે , તેમાં ચઢાવ- ઉતાર આવવા સામાન્ય છે. એનો અર્થ એ થયો કે તમે કોઇના'ય પ્રત્યે પ્રેમની લાગણીઓ ધરાવતા હોવ અને તે ગમે તેટલી મજબુત, એકધારી કે પવિત્ર (જે વિશેષણો આપવા હોય તે) હોય તેમ છતાં'ય તે એકધારી કે એકસરખી રહે તે જ્યાર'ય શક્ય નથી. પહેલા તબ્બકે યુગલો કે પ્રેમીઓને સહેજપણ ના ગમે તેવી વાતો થાય છે પરંતુ સમય અને સહજીવન સાથે ડહાપણ બની જશે તે નક્કી છે. જીવનમાં એકવાર આ ડહાપણ આવી જાય તે ખૂબ જરૃરી છે. કારણ કે, જ્યારે યુગલ એવું સ્વીકારતું થાય કે સાથે જીવવા માટે અને સહજીવની મજબુતી માટે માત્ર પ્રેમ ઉપર આધાર રાખી શકાય એમ નથી ત્યારે તે પોતાના સંબધને વધુ મજબુત અને સુખી બનાવી શકે તેવી બાબતો અંગે વિચારતા કે ધ્યાન કેન્દ્રીત કરતાં થાય. એવી બાબતો કે જે સાચા અર્થમાં અવિચલિત હોય, સ્થિર હોય અને સમયની સાથે પણ બાત ભીડી શકે! સંબંધમાં જે કામ લાગણીઓ નથી કરતી તે કામ આ સમજ કરી જાય છે.

ક્યારેય વિચાર્યું કે આપણે 'પ્રેમ- સંબધ કે લગ્ન સંબંધ 'કરતા 'દોસ્તી'ને કેમ મહત્વની ગણતા હોઇએ છીએ? આ બાબતમાં મારી સ્પષ્ટ સમજ એટલી એ કે પ્રેમ- સંબધ કે લગ્ન સંબંધ મહદઅંશે એકબીજા પરત્વેની પ્રેમની લાગણીઓ ઉપર ઊભો હોય છે જ્યારે દોસ્તીનો સંબંધ લાગણીઓ કરતાં એક બીજા માટે કોઇપણ સંજોગમાં ઉપલબ્ધ હોવાની પરસ્પર જવાબદારીની ભાવના ઉપર ઉભો હોય છે. સ્વાભાવિક છે, પ્રેમ- સંબંધો કે લગ્ન સંબંધોનો મૂળ આધાર જ સ્થિર નથી ત્યાં સંબંધ કેવીરીતે સ્થિર અને મજબૂત રહે?! પ્રેમ અપેક્ષાઓને જન્મ આપે છે જ્યારે જવાબદારી ફરજને જન્મ આપે છે. અપેક્ષાઓ પૂરી કરવા કરતાં ફરજ નિભાવતી ઓછી સંઘર્ષમય હોય છે. પરિણામે દોસ્તીમાં સંઘર્ષ હોછો હોય!

હવે મજાની વાત , વર્ષોના મારા અનુભવમાં મેં તમાચો મારીને ગાલ લાલ રાખીને ફરતા અસંખ્ય યુગલો જોયા છે. આ યુગલો એકબીજાના મિત્રો હોવાનું દાવો અને વર્તન બધાની સામે કરતા હોય છે પરંતુ તેમના બેડરૃમમાં જોઇ શકો તો ખબર પડે કે તેમના ગાલ પોતાના તમાચો કારણે લાલ નથી હોતા પણ એકબીજાએ મારેલા તમાચોને કારણે લાલ હોય છે! (ના સમજ્યા હોવ તો ફરી વાંચો!!) માત્ર પ્રેમ હોવાથી સંબંધ મૈત્રીપૂર્ણ નથી થઇ જતો, એકબીજાના મિત્ર થવું એ લાગણી ઉપર આધારિત નથી પરંતુ લાગણીઓથી અલગ અળગી પરસ્પર સન્માન અને જવાબદારીની ભાવના ઉપર આધારીત છે. જો સહજીવનમાં પ્રેમની લાગણીઓથી આગળ વધીને આ સમજ વિકસાવી શકો તો જાહેરમાં તમે એક બીજાના મિત્રો છો એવો દાવો કરતાં ફરતું નહિ પડે.

સો વાતની એક વાત, જાતને ચાહ્યા વગર અન્યને ચાહવું શક્ય નથી અને અન્યને જેવો (જેવી) છે તેવો ચાહ્યા વગર સુખી સહજીવન શક્ય નથી. ટ્રાફિકમાં આપણે કોઇ અન્ય ડ્રાઇવરને આપણા ડ્રાઇવિંગથી સસડાવી દઇએ પછી છાનામાના એના રિએક્શન 'રીઅર મિરર'માં જોતા હોઇએ છીએ. જો તે ડ્રાઇવર ગુસ્સો કરે તો આપણી ભૂલ હોવા છંતા'ય આપણે સામા ઘૂરકિયા કરીએ છીએ પણ જો એ ડ્રાઇવર આપણેને 'સ્માઇલ'આપે તો શક્ય છે આપણે શરમ અનુભવીએ. બસ, આ જ રીતે દરેક વ્યક્તિને પોતાના અવગુણો કે ના ચાહી શકાય તેવી બાબતો ખબર જ હોય, જ્યારે આપણે સતત એના ઉપર ધ્યાન દોરીને સુધારવાનો પ્રયન્ત કરીએ ત્યારે એ વ્યક્તિ ઘુરકિયા કરે છે પરંતુ તેને સ્વીકારી લઇએ તો કદાચ આપમેળે બદલાવા પણ માંડે! આ બધું જાણે કે બરાબર સાથીને જેવો છે તેવો ચાહવા યોગ્ય છે તેવી સમજ કેવી રીતે વિકસાવી શકાય?!! આવતા સપ્તાહે.....

દોસ્તી કરતાં લગ્ન સંબંધો વધુ તનાવગ્રસ્ત હોય છે. કારણ કે, આપણે દોસ્ત જેવો છે તેવો સહજતાથી સ્વીકારી લેતા હોઇએ છીએ પરંતુ સાથીને તો પોતાની ઇચ્છા અનુસાર બદલવા સતત પ્રયન્તશીલ રહેતા હોઇએ છીએ.

Friday, June 7, 2013

how to live a very happy marriage life ? - Self-appraisal

સુખ- શાંતિમય સહજીવન જીવવાની અપેક્ષા રાખતા દરેક યુગલે સમયાંતરે

નિયમિત રીતે પોતાના સંબંધોનું સ્વ-મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ



- સંબંધના પૃથક્કરણથી માંડીને મજબૂતાઈ વધારવાના કોઈ પણ પ્રયત્નોમાં આવતા અવરોધોમાં એક સૌથી મોટો અવરોધ એ હોય છે કે સાથી આ પ્રયત્નોમાં સહકાર ના આપે !

સમયની સાથે સંબંધોના સમીકરણ સતત બદલાતા રહ્યા છે પરંતુ સંબંધો સાથે સંકળાયેલી મૂળભૂત બાબતો તો એની એ જ રહી છે. કોઈ પણ સમયે સ્ત્રી-પુરુષના સંબંધોના મૂળભૂત ઘટકો પણ એના એ જ રહ્યા છે. આપણે આ મૂળભૂત ઘટકોની વ્યવહારમાં અગત્યની હોય તેવી વાતો કરી. હવે સમય છે આ ઘટકોના સંદર્ભમાં તમારા પોતાના સંબંધોને તપાસવાનો. તંદુરસ્ત જીવવાની ઇચ્છા ધરાવનાર દરેક વ્યક્તિએ જેમ નિયમિત 'હેલ્થ ચેકઅપ' કરાવવું જરૃરી છે તેમ સુખ-શાંતિમય સહજીવનની અપેક્ષા રાખતા દરેક યુગલે સમયાંતરે નિયમિત રીતે પોતાના સંબંધમાં આ ઘટકોનું સ્વ-મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. સંબંધોની મજબૂતાઈ માટે આ ખૂબ જરૃરી છે. આ સ્વ-મૂલ્યાંકન સંબંધમા તમારી તાકાત અને નબળાઈઓથી તમને વાકેફ કરે છે જેના આધારે બંને સાથી સહિયારો પ્રયત્ન કરીને સહજીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે.

સંબંધની સ્વસ્થતા ચકાસતું આ મૂલ્યાંકન કરવું કેવી રીતે ?! સરળ છે, મૂલ્યાંકન માટે બંને પક્ષે પ્રયત્ન અને પ્રામાણિકતા અનિવાર્ય છે. ત્યારબાદ; નબળાઈઓ દૂર કરવાની દિશામાં આગળ વધવા માટે ખુલ્લાપણું (ઓપનનેસ), નબળાઈઓથી ઊભી થતી નાની- મોટી સમસ્યાઓની સ્વીકૃતિ અને ઉકેલ માટે સહિયારો પ્રયત્ન જરૃરી છે. કરવાનું એટલું છે કે કાગળ- પેન લો. તેના ઉપર આપણે સંબંધોના જે મૂળભૂત ઘટકોની ચર્ચા કરી તેને તમારા સ્વ-મૂલ્યાંકન પ્રમાણે ખૂબ સંતોષજનક, સંતોષજનક, તટસ્થ, અસંતોષજનક અને ખૂબ અસંતોષજનક એમ પાંચ પૈકી એક તરીકે મૂલવવાની છે. એ પહેલા ફરી એકવાર આ ઘટકોની યાદ અપાવી દઉં ?! આ ઘટકો એટલે એકબીજા પ્રત્યેનો લગાવ, વિવિધ સ્તરે મુદ્દે- કોમ્પેટેબીલીટી (વ્યક્તિત્વ, સંવાદ, કૌટુંબિક, શારીરિક, આર્થિક, શૈક્ષણિક, તથા અંગત એમ જુદા જુદા સ્તરે અને શારીરિક, માનસિક, લાગણીઓ, સામાજિક અને અધ્યાત્મિક મુદ્દે), ઇન્ટીમસી (વિવિધ સ્તરે અનુભવાતી નિકટતા), 'પ્રતિબદ્ધતા' એટલે કે કમિટમેન્ટ, 'કોમ્યુનિકેશન' વગેરે તે ઉપરાંત રોજિંદી બાબતો પ્રત્યે સાથીઓની માન્યતા, ફિલસૂફી, વિચારધારા, લાગણીઓ, અભિગમ, નૈતિક મૂલ્યો, અંગત જીવનના ધ્યેય વગેરેનો સમાવેશ પણ આ મૂલ્યાંકનમાં કરવો પડે.

ખૂબ સંતોષજનક એટલે એવી બાબતો કે જેમાં તમે બંને વચ્ચે અત્યંત મનમેળ હોય, જે દિશામાં તમે એક યુગલ તરીકે વિચારી શકતા હોવ અને એકબીજાને મદદરૃપ એવો સહિયારો અભિગમ અપનાવી શકતા હોવ. જેના કારણે તમે એકબીજાની અત્યંત નિકટ હોવ. સંતોષજનક એટલે નાની નાની ખટપટ, અવગણી શકાય તેવા સાવ નજીવા મતભેદો સિવાય ધ્યાનમાં લેવા જેવું ખાસ કંઈ નહિ, તટસ્થ એટલે એવી બાબતો કે એવા ઘટકો કે જેમાં સમસ્યાઓ ખરી પરંતુ કોઈ ગંભીર બાબતો નહિ, હુંસાતુંસી ખરી લાંબા- મોટા ઝઘડા નહી, મતભેદો ખરા પણ મનભેદ સુધીના નહીં, અસંતોષ એટલે યુગલ વચ્ચે નિયમિતરૃપે સમસ્યાઓ સર્જતી બાબતો, લગભગ રોજિંદા કહી શકાય તેવા પ્રશ્નો અને તેમાંથી ઉત્પન્ન થતો રહેતો અસંતોષ. ખૂબ અસંતોષજનક એટલે સહજીવનમાં ગંભીર પ્રશ્નો ઉભા કરતી બાબતો, સતત કંકાશમય અને કડવાશભર્યું સહજીવન બંને સાથીઓએ અલગ બેસીને પૂરતો સમય લઈને (એક બેઠકે જ કરવું જરૃરી નથી) પરંતુ પ્રમાણિકતાપૂર્વક વિચારીને આ મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ એક સમય નક્કી કરીને બંનેએ સાથે બેસીને એક પછી એક મુદ્દે એકબીજાના મૂલ્યાંકન અંગે ચર્ચા કરી સંબંધની મંજબૂતાઈ (સ્ટ્રેન્થ) અને નબળાઈ (વીકનેસ) અંગે જાગૃતિ કેળવી શકાય છે. સરવાળે, સંબંધમાં તમારા મજબૂત પાસાઓને વધુ મજબૂત કરવાનો અને તેનો ઉપયોગ તમારી નબળાઈઓને દૂર કરવા માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવાનો અભિગમ સહજીવન સુખ- શાંતિમય અને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે.

સંબંધના પૃથક્કરણથી માંડીને મજબૂતાઈ વધારવાના કોઈ પણ પ્રયત્નોમાં આવતા અવરોધોમાંથી એક સૌથી મોટો અવરોધ એ હોય છે કે સાથી સહકાર ના આપે ! તેને એમ લાગે કે આવી કોઈ જરૃર નથી, જે સુધારો કરવાનો છે એ સાથીએ કરવાનો છે. હવે આમાં કાંઈ થઈ શકે તેમ નથી જે છે તે આ છે, મને રસ જ નથી. સાથીની માનસિકતા છે બાકી કોઈ સમસ્યા જ નથી વગેરે માન્યતાઓ તેના સહકારની આડે આવે. નિરાશ થવાની જરૃર નથી. જો તમે માનસિક શાંતિ મેળવવા માંગતા હોવ તો એકતરફી પ્રયત્ન પણ કામ આવી શકે. તમે તમારું મૂલ્યાંકન કરી અને તમારી નબળાઈઓ ઉપર કામ કરો. સહજીવનમાં ઘર્ષણ ચોક્કસ ઘટશે અને ભલું હશે તો તમારા બદલાયેલા વ્યવહારને કારણે સાથીનો વ્યવહાર આપોઆપ બદલાશે. હા, સાથીના સહકારથી આ બદલાવ સરળતા અને સહજતાથી આવે પણ એકતરફી પ્રયત્નોમાં બદલાવ માટેનું મનોબળ સાથીના સહકારથી આ બદલાવ સરળતા અને સહજતાથી આવે પણ એકતરફી પ્રયત્નમાં બદલાવ માટેનું મનોબળ ટકાવી રાખવું પડે છે.

ઘણા યુગલોની સમસ્યા તો એવી વિકટ હોય છે કે સાથે બેસીને ચર્ચા જ ના કરી શકતા હોય ત્યાં મૂલ્યાંકન પૃથક્કરણ જેવી અઘરી વાતો કેવી રીતે કરાય? એમાં ઝઘડો થઈ જાય ! આવા કિસ્સામાં નિષ્ણાતની સલાહ લેવી જરૃરી બની જાય.

પૂર્ણવિરામ
સંબંધ મજબૂત છે તેવું માનવા કરતા સંબંધ મજબૂત છે તેવું અનુભવવું વધુ જરૃરી છે.

Wednesday, May 29, 2013

how to live a very happy marriage life ? - misc.

સહજીવનના ઘણા પ્રશ્નો સાથીઓની ફિલસુફી,

વિચારસરણી કે અભિગમ સાથે સંકળાયેલા હોય છે


અમારે બંનેને અંગત રીતે કોઈ પ્રશ્ન જ નથી. એકબીજા સાથે ખૂબ નજદીક છીએ, એકબીજા માટે ખૂબ લાગણી પણ છે પરંતુ જે ઝગડા થાય છે બાળકોને કારણે જ થાય છે. એમણે બાળકોને વધારે પડતી છૂટ આપી રાખી છે.' પત્નીએ વ્યથા ઠાલવવાની શરૃઆત કરી.

'પણ આજકાલના બાળકોને અમુક સ્વતંત્રતા તો આપવી પડે ને?! જાતે કરશે તો વિકાસ થશે.' પતિએ સમજાવટની અદાથી કહ્યું.

'તે આલો, પણ પછી તમારા મા-બાપ જ્યારે અને ત્યારે કહેતા ફરે છે કે માએ કંઈ શિસ્ત જેવું કંઈ શિખવ્યું નથી તો એ હવે હું નહિ સાંભળું, કહી દઉં છું.' આ પ્રશ્નને એ ક્યારેય સમજી જ નહિ શકે તેવો કાયમનો દબાયેલો આક્રોશ પત્નીએ વ્યક્ત કર્યો.

'બસ સાહેબ આ જ પ્રોબ્લેમ, શરૃ બાળકોથી થાય અને અટકે મારા મા-બાપ પર જઈને! આ તો તમે સામે છો એટલે અહીંથી પતશે બાકી તો આખું સરવૈયું કાઢે, જૂનું જૂનું એવું કાઢે કે મને તો યાદ પણ ના હોય!' પતિએ જાણે મને આડકતરો ઈશારો આપ્યો કે હવે કંઈ બોલો નહીંતર આ સરવૈયું કાઢશે.

સામાન્ય છે, તમારા માટે ના પણ હોય, પરંતુ મારા માટે આવી રજુઆતો સામાન્ય છે. ઘણા યુગલોના જીવનમાં આપણે અગાઉ ચર્ચા કરી એવા 'કોમ્પેટેબીલીટી', 'ઈન્ટીમસી' કે 'કોમ્યુનીકેશન'ના પ્રશ્નો કરતા આવા રોજીંદા સહજીવનના પ્રશ્નો તેમના સંબંધોમાં વધુ સમસ્યાઓ ઊભી કરતા હોય છે અથવા ક્યારેક વણસેલા સંબંધોને વધુ વણસાવતા હોય છે. આવા પ્રશ્નોના મૂળમાં સાથીઓની સહજીવનમાં અવારનવાર ઊભી થતી કેટલીક અનિવાર્ય રોજીંદી બાબતો પ્રત્યેની ફિલસુફી, વિચારસરણી અને અભિગમ વગેરેમાં રહેલી વિષમતાઓ જવાબદાર હોય છે. આ બાબતોમાં ખાસ કરીને બાળકોનો ઉછેર, ઘર ચલાવવા માટે જરૃરી બાબતો, પૈસા અને ખર્ચાઓનું આયોજન, સાસરિયાઓ પરત્વેનો વ્યવહાર, શોખ અને ગમતી પ્રવૃત્તિમાં રહેલી વિષમતાઓ, એકબીજાના મિત્રો તરફનો અભિગમ વગેરેનો સમાવેશ કરી શકાય. સહજીવનમાં લગભગ રોજે રોજ આ બાબતો વત્તે-ઓછે અંશે આડી આવતી રહેતી હોય છે અને બંને સાથીઓની તે અંગેની ફિલસુફી, વિચારસરણી અને અભિગમના આધારે તેમાંથી સમસ્યા જન્મ લેશે કે નહિ તે નક્કી થતું હોય છે.

બાળકોનો ઉછેર સહિયારી જવાબદારી છે. યુગલોએ તેની સાથે સંકળાયેલી તમામ બાબતોએ સહમત હોવું જરૃરી છે અને બાળકોના હિતને પ્રાથમિકતા આપીને તે માટે જરૃરી સમાધાનોની તૈયારી બંને પક્ષે હોવી જોઈએ. બાકી બાળકોને લગતા નાના-મોટા પ્રશ્નો પ્રત્યે જો મતભેદો હશે તો તેનો સૌથી વધુ લાભ તમારું બાળક જ ઉઠાવશે. તેમને બરાબર ખબર હોય છે કે કોણ તેમની તરફેણમાં છે કોણ વિરોધમાં, તરફેણ કરે તેની પાસે માંગણીઓ કરવાની અને વિરોધ કરનાર પ્રત્યે તરફેણ કરવાવાળું કેટલું સારું છે તેના ગુણગાન ગાઈને અણગમો વ્યક્ત કરવાનો. સરવાળે, માબાપને લડાઈ મારવાના, તો ક્યારેક મા-બાપ જાતે જ લડી મરે!

આવો જ મુદ્દો કે ઘર ચલાવવા માટે જરૃરી નાની મોટી બાબતોનો, દા.ત. એકનું માનવું એમ છે કે જેમ જરૃર પડે તેમ વસ્તુઓ લાવવી અને બીજાનું માનવું એમ છે કે 'સ્ટોક' કરી રાખવો... સરવાળે ઘર્ષણ આવું જ પૈસા અને ખર્ચાનું, એક ને કપડા પાછળનો ખર્ચો વ્યર્થ લાગતો હોય તો બીજાને સાધનો પાછળનો... સરવાળે ઘર્ષણ. એકને શેરબજારનું રોકાણ શ્રેષ્ઠ લાગતું હોય અને બીજાને એ સટોડિયાવૃત્તિ લાગતી હોય. સરવાળે ઘર્ષણ. શોખ અને પ્રવૃત્તિઓનું પણ એવું જ છે, એકને આઈપીએલનો શોખ અને બીજાને સીરીયલો... સરવાળે ઘર્ષણ. આ તો હું શું કહેવા માંગું છું તેના સાવ નજીવા ઉદાહરણો છે, બાકી અસંખ્યા બાબતો હોઈ શકે છે.

એકબીજાના માતા-પિતા અને કુટુંબીઓ પ્રત્યેનો આદરભાવ અને વ્યવહાર પણ રોજીંદા જીવનની અગત્યની બાબત છે. નાની મોટી બાબતોમાં કે લાગ આવે ત્યારે એકબીજાના કુટુંબીઓને ભાંડતા રહીને સુખ-શાંતિમય સહજીવનની અપેક્ષાઓ ના રાખી શકાય. પોતાનું અંગત બધાને કહી આવવું. બધાને ખબર હોય અને જીવનસાથીને કંઈ ખબર જ ના હોય, સહજીવનની નાનીનાની બાબતોની ફરિયાદો બધાને કરી આવવી વગેરે ઝીણું-ઝીમું સંબંધોની મજબૂતાઈમાં અગત્યનું છે. આવી જ વાત મિત્રોની પણ છે. એકબીજાના મિત્રો પ્રત્યેનું સાથીઓનું વલણ અને સાથીની સરખામણીએ મિત્રોનું વધુ પડતું મહત્વ પણ ક્યારેક મોટા પ્રશ્નો ઊભા કરે છે.

ટૂંકમાં, જોડે જીવતા હોઈએ ત્યારે એવી અનેક બાબતો આવે કે જેમાં મતભેદો હોઈ શકે. એ બાબતો અંગે બંને સાથીઓની માન્યતા, ફિલસુફી, વિચારધારા, લાગણીઓ કે અભિગમ અલગ હોઈ શકે. પરંતુ, સુખ-શાંતિભર્યું મજબૂત સહજીવન જો તમારી પ્રાથમિક્તા હોય તો આવા મતભેદો અંગે ખુલ્લા મને, અંગત રીતે જરૃરી ચર્ચાઓ કરીને સમાધાનકારી વલણ અપનાવવું પડે તેમાં કોઈ બે મત નથી.

Wednesday, May 22, 2013

Couple Photography

Do create this kind of photos with your loved ones.. and it feels great when u see them together after a while... Enjoy!!